ધોરણ 1 થી 9 અને 11માં ભણતા વિદ્યાર્થીઓને લઈને રાજ્ય સરકારે લીધો મોટો નિર્ણય
- Advertisement -
ગુજરાતમાં કોરોનાની દહેશતના પગલૅ રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે આદેશ કરતા કહ્યું કે, ધોરણ 1 થી 8 માં ડિટેન્સન નીતિ અમલમાં આવશે તમામ વિદ્યાર્થઈઓને માસ પ્રમોશન આપી ઉપલા ધોરણમાં લઈ જૃવાશે પરંતુ આવતા વર્ષે ડિટેન્સન નીતિનો અમલ કરવામાં આવશે.

- Advertisement -
- Advertisement -
ધો 9 અને 11 માં ધોરણના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાશે. આ ઉપરાંત શિક્ષકોને પણ સરકારે રાહત આપી છે. રાજ્યના શિક્ષકોને હવે શાળાએ આવવાની જરૂર નહી પડે. નોંધનિય છે કે કોરોનાના સંક્રમણના કારણે પરિક્ષાઓ લઈ શકાય ન હતી. જેના કારણે સરકારે આ આદેશ આપ્યો છે. હાલમાં ગુજરાતમાં પેપર ચેકિંગની કાર્યવાહી પણ બંધ કરવામાં આવી છે.
ઉચ્ચસ્તરીય બેઠકમાં આ મહત્વપૂર્ણ નિર્ણય
મુખ્યપ્રધાન રૂપાણીની અધ્યક્ષતામાં યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો.. બીજી તરફ તમામ શિક્ષકોને પણ હવે શાળાએ જવામાંથી મુક્તિ આપવામાં આવી છે. મતલબ કે હવે શિક્ષકોએ શાળાએ જવું ફરજીયાત નહીં રહે. સાથે જ નવું શૈક્ષણિક સત્ર પણ અગાઉ મુજબ જૂન મહિનાથી જ ચાલુ થશે.
- Advertisement -