શિશુવિહાર સંસ્થા આયોજિત નિરમા લિમિટેડનાં સૌજન્યથી વેળાવદર ગામની પ્રાથમિક શાળામા ગ્રામજનોને ચશ્મા વિતરણ તથા આરોગ્ય તપાસ
- Advertisement -
શિશુવિહાર સંસ્થા આયોજિત નિરમા લિમિટેડનાં સૌજન્યથી તા.16 માર્ચને સોમવારે ભાલ વિસ્તાર ના વેળાવદર ગામની પ્રાથમિક શાળામા ગ્રામજનોને ચશ્મા વિતરણ તથા આરોગ્ય તપાસ અને આ જ પ્રાથમિક શાળાના બાળકો ની હિમોગ્લોબિન તપાસ કરવામાં આવેલ. જેમા 122દર્દી નારાયણને ચશ્માનાં નંબર તપાસીને ચશ્મા આપવામા આવેલ તથા ગ્રામ જનોને આરોગ્ય તપાસ કરીને 93 દર્દી નારાયણો ને દવા આપવામા આવેલ.
- Advertisement -

- Advertisement -
શાળાનાં 53 બાળકો ને હીમોગ્લોબિન તપાસી ને 1 બાળકોની દવા આપવામા આવેલ. આ કાર્યક્રમમાં નિરમા લિમિટેડનાં શ્રી હિતેશભાઈ ડાવરા,સરપંચ શ્રી મુકેશભાઈ ,શાળા નાં આચાર્ય શ્રીસગર વિક્રમભાઈ ડૉ.શ્રી જશુબહેન જાની,શ્રી હિરેનભાઈ જાંજલ,શ્રી મીનાબહેન મકવાણા, શ્રી કૃપાબહેન ઓઝા, શ્રી રેખાબહેન ભટ્ટ તથા શ્રી રાજુભાઈ મકવાણા એ સેવા આપેલ.
- Advertisement -