fbpx
Bhavnagar News
Get all the Daily Latest Bhavnagar and Gujarati News

- Advertisement -

- Advertisement -

સ્ટેચ્યૂ ઓફ યુનિટી Live: PM મોદીએ કહ્યું – મેં આ વિચાર્યું જ નહોતું, મારી કલ્પના તો બીજી હતી.

3,092

- Advertisement -

2010થી કેવડિયા ખાતે સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા તૈયાર કરવાનું તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સાકાર થયું. દેશના પહેલાં ગૃહમંત્રી સરદાર પટેલની 143મી જયંતિ પર પીએમ મોદી સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું અનાવરણ કર્યું. આ દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા છે. ગુજરાતના પોતાના પનોતા પુત્રનું ઋણ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા તૈયાર કરીને તેમના જન્મદિને ચૂકવશે. આ અંગેના તમામ લાઇવ અપડેટ્સ

– નરેન્દ્ર મોદીએ 30 નદીઓના જળાભિષેક અને મંત્રોચ્ચાર સાથે કર્યું પૂજન
– સરદાર પટેલ ઇચ્છતા હતા કે ભારત સશકત, સુદ્રઢ, સંવેદનશીલ, સતર્ક અને સમાવેશી બન્યા. અમારા તમામ પ્રયાસ તેમના એ સપનાને સાકાર કરવાની દિશામાં થઇ રહ્યો છે. કેટલીક વખત તો હું હેરાન થઇ જતો, જ્યારે દેશમાં જ કેટલાંક લોકો અમારી આ મુહિમને રાજકારણ સાથે જોડીને જુએ છે. સરદાર પટેલ જેવા મહાપુરુષો, દેશના સપૂતોની પ્રશંસા કરવા માટે પણ અમારી આલોચના થવા લાગી છે. એવા અનુભવ કરાવ્યા છે માનો કે અમે બહુ મોટો ગુનો કરી દીધો છે: પીએમ મોદી

- Advertisement -

– સતપુડા અને વિંધ્યના આ આંચલમાં વસેલી આ તમામ પ્રજાને પ્રકૃતિએ જે પણ કંઇ સોંપ્યું છે તે હવે આધુનિક રૂપમાં પોતાને કામ આવનાર છે. દેશે જે જંગલો અંગે કવિતાઓ વાંચ્યું, હવે આ જંગલો, એ આદિવાસીઓને આખી દુનિયા પ્રત્યક્ષ સાક્ષાત્કાર કરનાર છે.

- Advertisement -

સરદાર સાહેબની પ્રતિમાની આસપાસના વિસ્તારને ગુજરાત સરકાર ટુરિસ્ટ સ્પોટ તરીકે વિકસિત કરી રહ્યું છે. ફૂલોની ઘાટી આ સ્મારકનું આકર્ષણ વધુ વધારશે. હું ઇચ્છું છું કે એક એકતા નર્સરી બને. અહીં આવનાર ટુરિસ્ટ આ નર્સરીમાંથી એકતાનું ઝાડ ઘરે લઇ જાય: પીએમ મોદી

– આજે જે આ સફર એક પડાવ સુધી પહોંચ્યો છે, તેની યાત્રા 8 વર્ષ પહેલાં આજના દિવસે જ શરૂ થઇ હતી. 31મી ઑક્ટોબર 2010ના રોજ અમદાવાદમાં મેં તેનો વિચાર સૌની સામે મૂકયો હતો. કરોડો ભારતીયોની જેમ ત્યારે મારા મનમાં એક જ ભાવના હતી કે જે વ્યક્તિએ દેશને એક કરવા માટે આટલો મોટો પુરુષાર્થ કર્યો હોય, તેને સમ્માન ચોક્કસ મળવું જોઇએ જેના તેઓ હકદાર છે: પીએમ મોદી

– આ પ્રતિમા ભારતના અસ્તિત્વ પર પ્રશ્ન ઉઠાવનારાઓને યાદ અપાવા માટે છે કે આ રાષ્ટ્ર શાશ્વત હતું, શાશ્વત છે અને શાશ્વત રહેશે: પીએમ મોદી

– આ પ્રતિમા, સરદાર પટેલના એ પ્રણ, પ્રતિભા, પુરુષાર્થ અને પરમાર્થની ભાવનાનું પ્રકટીકરણ છે. આ પ્રતિમા તેમના સામર્થ્ય અને સમર્પણનું સમ્માન તો છે જે, આ ન્યૂ ઇન્ડિયા, નવા ભારતના નવા આત્મવિશ્વાસની પણ અભિવ્યક્તિ છે: પીએમ મોદી

– દેશના લોકતંત્રથી સામાન્ય પ્રજાને જોડવા માટે તેઓ હંમેશા સમર્પિત રહ્યાં. મહિલાઓને ભારતના રાજકારણમાં સક્રિય યોગદાનનો અધિકાર આપવા પાછળ પણ સરદાર પટેલનો ખૂબ મોટો રોલ રહ્યો છે: પીએમ મોદી

સરદાર સાહેબનો સંકલ્પ ના હોત તો સિવિલ સર્વિસીસ જેવું માળખું ઉભું કરવામાં આપણને ખૂબ જ મુશ્કેલી પડી હોત: PM મોદી

– સરદાર સાહેબે સંકલ્પ ના લીધો હોત તો આજે ગીરના સિંહને જોવા માટે, સોમનાથમાં પૂજા કરવા માટે અને હૈદ્રાબાદ ચાર મિનારને જોવા માટે આપણે વીઝા લેવા પડતા હોત. સરદાર સાહેબનો સંકલ્પન ના હોત તો કાશ્મીરથી કન્યાકુમારી સુધીની સીધી ટ્રેનની કલ્પના પણ ના થઇ શકી હોત: પીએમ મોદી

– સરદાર સાહેબનું સામર્થ્ય ત્યારે ભારતનું કામ આવ્યું હતું જ્યારે મા ભારતી સાડા પાંચસોથી વધુ રજવાડાઓમાં વહેંચાયું હતું. દુનિયામાં ભારતના ભવિષ્યના પ્રત્યે ઘોર નિરાશા હતી. નિરાશાવાદીઓને લાગતું હતું કે ભારત પોતાની વિવિધતાઓના લીધે વિખેરાય જશે: પીએમ મોદી

– સરદાર સાહેના આ સંવાદથી એકીકરણની શક્તિને સમજતા તેમણે પોતાના રાજ્યોનું મર્જર કરી દીધું. જોત જોતામાં ભારત એક થઇ ગયું. સરદાર સાહેના આહ્વાન પર દેશના સેંકડો રજવાડાઓએ ત્યાગની મિસાલ કાયમ કરી હતી. આપણે આ ત્યાગને પણ કયારેય ભૂલવા જોઇએ નહીં: પીએમ મોદી

નિરાશાવાદી એ જમાનામાં પણ હતા. નિરાશાવાદીઓને પણ લાગતું હતું કે ભારત પોતાની વિવિધતાઓના વિખેરાઇ જશે. નિરાશના આ દોરમાં પણ તમામને એક કિરણ દેખાય છે અને આ આશાનું કિરણ હતું સરદાર વલ્લભભાઇ પટેલ. સરદાર પટેલમાં કૌટિલ્યની કૂટનીતિ અને શિવાજી મહારાજના શૌર્યનો પણ સમાવેશ હતો. તેમણે પાંચ જુલાઇ 1947ના રોજ રજવાડાઓને સંબોધિત કરતાં કહ્યું હતું – વિદેશી આક્રાંતાઓની સામે આપણા પરસ્પરના ઝઘડા, દુશ્મની, વેરનો ભાવ આપણી હારનું મોટું કારણ હતું. હવે આપણે આ ભૂલને દોહરાવાની નથી અને ના તો ફરીથી કોઇનું ગુલામ થવાનું છે. સરદાર સાહેબના આ સંવાદથી એકીકરણની શક્તિને સમજતા રાજા-રજવાડાઓએ પોતાના વિલયનો નિર્ણય કર્યો. જોત જોતામાં ભારત એક થઇ ગયું- PM મોદી

– આ પ્રોજેક્ટની કલ્પના મેં ત્યારે કરી હતી જ્યારે હું ગુજરાતનો મુખ્યમંત્રી હતો. આ પ્રતિમાના નિર્માણ માટે લાખો ખેડૂત સાથે આવ્યા અને પોતાના ઓજાર અને – માટી આપી પોતાના હિસ્સાનું યોગદાન આપ્યું: પીએમ મોદી

જ્યારે આ કલ્પના મનમાં ચાલી રહી હતી, તો હું અહીંના પહાડોને શોધી રહ્યો હતો. મારો વિચાર હતો કે નક્શી કામ કરી સરદાર સાહેબની પ્રતિમા તેના પર ઉપસી આવે. પરંતુ તપાસ બાદ એવો કોઇ મજબૂત પહાડ મળ્યો નહીં. પછી વિચાર બદલવો પડ્યો. આજે જે સ્વરૂપ તમે જોઇ રહ્યો છે, તેને અહીંથી જન્મ લીધો: PM મોદી

મને લોખંડી અભિયાન દરમ્યાન લોખંડનો પહેલો ટુકડો પણ સોંપાયો છે. હું ગુજરાતના લોકોના પ્રત્યે કૃતજ્ઞ છું. હું આ વસ્તુઓને અહીં જ છોડીશ, જેથી કરીને દેશ તેને જોઇ શકે. 

– આજે ભારતના એક વિરાટ પુરુષને યોગ્ય સમ્માન આપ્યું છે: પીએમ મોદી

જ્યારે મેં ગુજરાતના મુખ્યમંત્રી તરીકે તેની કલ્પના કરી હતી, તો અહેસાસ નહોતો કે એક દિવસ વડાપ્રધાન તરીકે મને જ આ પુણ્ય કામ કરવાની તક મળશે. સરદાબ સાહેબના આશીર્વાદ માટે હું પોતાને જ ધન્ય માનું છું- સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું ઉદ્ઘાટન કરતાં સમયે મોદી

– આજે જ્યારે ધરતીથી લઇ આકાશ સુધી સરદાર સાહેબનો અભિષેક થઇ રહ્યો છે ત્યારે ભારતે માત્ર પોતાના માટે જ ઇતિહાસ રચ્યો નથી પરંતુ ભવિષ્ય માટે પ્રેરણાનો ગગનચુંબી આધાર પણ તૈયાર કરાયો છે: PM મોદી
– આખો દેશ સરદાર પટેલની સ્મૃતિમાં રાષ્ટ્રીય એકતા દિવસ મનાવી રહ્યો છે. આ અવસર પર દેશના અલગ-અલગ ખૂણામાં આપણા દેશના નવયુવાનો દોડ લગાવી રહ્યાં છે, રન ફોર યુનિટી, તેના આ જજ્બાને હું નમન કરું છું: પીએમ મોદી
– આજે દેશ રાષ્ટ્રીય એકતા દિવસ મનાવે છે : પીએમ મોદી
– આજ ભારતના વર્તમાને પોતાના દેશના ઇતિહાસના એક સવર્ણિમ પુરુષને ઉજાગર કરવાનું કામ કર્યું છે: PM મોદી
– સરદાર પટેલ અમર રહે, દેશ કી એકતા જિંદાબાદના PM મોદી એ નારા લગાવડાવ્યા
– સરદાર પટેલની સૌથી ઊંચી પ્રતિમા દુનિયાને પીએમ મોદીએ કરી સમર્પિત

ઇતિહાસ એ જ રચે છે જે ઇતિહાસથી પ્રેરણા પ્રાપ્ત કરે છે: વિજય રૂપાણી, સીએમ ગુજરાત

– સરદાર પટેલની પ્રતિમાનું ઉદ્ઘાટન કરવા પહોંચ્યા પીએમ મોદી, ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, ગુજરાતના સીએમ વિજય રૂપાણી, ડેપ્યુટી સીએમ નિતિન પટેલ, મધ્યપ્રદેશની રાજ્યપાલ આનંદીબેન પટેલ અને અન્ય નેતા પણ હાજર

 

- Advertisement -

- Advertisement -

Leave A Reply

Your email address will not be published.

error: Content is protected !!