fbpx
Bhavnagar News
Get all the Daily Latest Bhavnagar and Gujarati News

- Advertisement -

- Advertisement -

જાણો કેમ નિલમબાગ પેલેસને ભાવનગર માં એક બહુ મોટા મહેલ તરીકે બનાવવામાં આવ્યો ન હતો કારણ જાણી બઘાને થશે ગવૅ.

1,321

- Advertisement -


જ્યારે વિશ્વભરની હેરિટેજ સંપત્તિઓ આજે પેલેસ ડે તરીકે ઉજવણી કરે છે. ત્યારે આ રોગચાળા દરમિયાન યાદ રાખવું અગત્યનું છે કે, નિલમબાગ પેલેસ ભાવનગર માં એક બહુ મોટા મહેલ તરીકે બનાવવામાં આવ્યો ન હતો, કારણ કે રાજ્યનું તમામ બજેટ સર તખ્તસિંહજી હોસ્પિટલ બનાવવા માટે વાપર્યું હતું.

અન્ય રાજ્યોની સરખામણીમાં જ્યાં મહેલો ખૂબ ભવ્યછે, ત્યારે ભાવનગર રાજવી પરિવાર ઉચ્ચ ગુણવત્તાની લોકોની આરોગ્ય સંભાળ, અને લોકોને ખૂબ ઊંચા પ્રકારનું શિક્ષણ આપવામાં વિશ્વાસ રાખતો હતો. ભાવનગર રાજ્યની નીતિ અને પ્રાથમિકતા હંમેશા સુધારાવાદી અને આધુનિક અભિગમ ધરાવતી હતી.

- Advertisement -

- Advertisement -

આ રોગચાળા દરમિયાન, લોકોનું અંદરોઅંદર સામાજિક અંતર જાળવવું ખૂબ મહત્વનું હોવા છતાં, જો મને કંઈક યાદ આવે છે, તો તે વ્યક્તિગત રીતે આપણા મહાન ભાવનગરના દરેક નાગરિકોને મળવા નું.

હું ફરી એકવાર અમારા ડોકટરો, નર્સો, પોલીસ, મેડિકલ અને ઇમર્જન્સી સ્ટાફ, તમામ આરોગ્યસંભાળ અને સફાઇ કર્મચારીઓ તેમ જ આ સમયે ભાવનગર અને ભાવનગરના લોકોને મદદ કરવા માટે ફાળો આપનાર દરેક વ્યક્તિને સલામ કરું છું.

ભાવનગર યુવરાજ જયવિરરાજસિંહ ગોહિલ

- Advertisement -

- Advertisement -

Leave A Reply

Your email address will not be published.

error: Content is protected !!